Gifting available for eBook & AudiobookAdd to cart and tap ‘Send as a Gift’
Paperback Details
gujaratiLanguage
266Print Length
Description
સુરક્ષા નથી મકાનમાં છોકરી રહો ઉડાનમાં ~ આચાર્ય પ્રશાંત
સ્વતંત્ર જીવન એક સ્વતંત્ર મનની અભિવ્યક્તિ છે. જો વ્યક્તિનું મન મુક્ત નથી તો મુક્તિ આંદોલન કદાચ જ ક્યારેક પોતાના ઉદ્દેશની પૂર્તિ કરી શકશે.
મહિલા મુક્તિ માટે જે આંદોલન કરવામાં આવ્યાં છે અથવા કરવામાં આવી રહ્યાં છે, એનો ઉદ્દેશ પણ મહિલાઓને માત્ર રાજનૈતિક અને સામાજિક સમાનતા આપવાનો રહ્યો છે; તે પણ સ્ત્રીમનની ગુલામીનાં મૂળ કારણોને સંબોધિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે.
સ્ત્રીનું વસ્તુકરણ (વસ્તુ માની લેવી) જ એની ગુલામીનું મુખ્ય કારણ છે.
એ ગુલામીમાંથી મુક્તિ ત્યારે શક્ય છે જયારે સ્ત્રી પોતાની જાતને વસ્તુમાત્ર ન સમજે. દુનિયા સ્ત્રીનું શોષણ કરે છે એને એક ભૌતિક વસ્તુ સમજીને, અને સ્ત્રી એ શોષણને સહન કરે છે, કારણ કે દેહ સાથે એણે પોતાનું તાદાત્મ્ય બેસાડી દીધું છે.
આ ખૂબ મહત્ત્વપૂર્ણ પુસ્તકમાં આચાર્ય પ્રશાંતે કરુણાપૂર્વક શરીરને સાચું સ્થાન બતાવ્યું છે, એના આગ્રહો પર સૂચનો આપ્યાં છે, અને સ્ત્રીના મનની મુક્તિના માર્ગ પર પ્રકાશ પાડ્યો છે, કે જે ન માત્ર એને આંતરિક શક્તિ પ્રદાન કરે છે પણ એની ઉન્નતિની યાત્રાને એક ઉડાન આપે છે.